ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય,વધારાના વીજ લોડ ઉપર ખેડૂતોને નહીં આપવો પડે દંડ

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય,વધારાના વીજ લોડ ઉપર ખેડૂતોને નહીં આપવો પડે દંડ

રાજ્ય સરકારે મહાત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત વધારાના વિજ લોડ ઉપર ખેડૂતને કોઈ પણ જાતનો દંડ નહીં લાગે.હવે ખેડૂત સ્થળ પર જ વધારાનો ચાર્જ ભરીને વધારાનો વીજ લોડ મેળવી શકાશે. ગુજરાત સરકાર સમક્ષ કિસાન સંઘ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કિસાન સંઘની રજૂઆત

લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે. અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. બીજી તરફ સરકારે સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ યોજનાની મુદ્દત 31 મે 2023 સુધી લંબાવાઈ છે. કિસાન સંઘની રજૂઆત પર સરકારે આ નિર્ણય લીધો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *