સીમા હૈદર વિષે યોગી આદિત્યનાથે આપ્યું મહત્વનુ નિવેદન,કહ્યું ‘બે દેશો વચ્ચે….’

– સીમા હૈદર પાકિસ્તાનથી 4 બાળકો લઈને ભારત આવી છે

– ભારતમાં સચ્ચિન નામના યુવક સાથે પ્રેમ થયો હોવાની કબૂલાત

– સીમા અને સચિનની લવ સ્ટોરી ભારતભરમાં થઈ રહી છે પ્રખ્યાત

પાકિસ્તાનથી સરહદ પાર કરીને ભારતમાં આવેલી સીમા હૈદર વિશે સતત ચર્ચા થાય છે. થોડા દિવસો પહેલા UP ATSએ સીમા, તેના પતિ સચિન મીણા અને સસરા નેત્રપાલ મીણાની લાંબી પૂછપરછ પૂરી કરી હતી. તપાસ એજન્સીએ તેનો રિપોર્ટ યુપી સરકારને સોંપી દીધો છે. આ મુદ્દે પહેલીવાર સીએમ યોગી આદિત્યનાથનું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં યોગીએ કહ્યું કે આ બે દેશો સાથે જોડાયેલો મામલો છે. આ અંગે સંબંધિત એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. જે પણ રિપોર્ટ આવશે તેના પર વિચાર કરવામાં આવશે.

સીમા હૈદર પાકિસ્તાનથી આવી ત્યારથી જ ચર્ચામાં છે. સીમા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી અને તે તેના પિતા સચિન સાથે નોઈડામાં રહે છે. ઘણી વખત તે કેમેરા સામે રડી પણ ચૂકી છે કે યોગીજી મને અહીં રહેવા દો. ત્યારથી બધા રાહ જોઈ રહ્યા હતા કે સીમા હૈદરના મામલામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ચોક્કસ કંઈક બોલશે. હવે સીમા હૈદર કેસમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. સીમા હૈદર તેના 4 બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવી છે.

સીમાએ યોગી અને મોદીને અપીલ કરી છે

મીડિયા સાથેની વાતચીતમાં સીમા હૈદરે યોગી અને મોદીને અનેકવાર આજીજી કરી છે કે તે હવે હિન્દુ બની ગઈ છે. તેમને ભારતમાં જ રહેવાની છૂટ આપવી જોઈએ. જો તેને પાકિસ્તાન પરત મોકલવામાં આવશે તો તેને મારી નાખવામાં આવશે. તે તેના પતિ સચિન અને ચારેય બાળકો સાથે રહેવા માંગે છે. સીમાએ આ અંગે રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીની તપાસમાં સીમા હૈદરના પાકિસ્તાની જાસૂસ હોવાની હકીકત સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *