બજરંગ પુનિયાએ લગાવ્યા મોટા આરોપ
દિલ્હીના જંતર-મંતર ઉપર પ્રદશન કરી રહેલા બજરંગ પુનિયા સહિતના પહેલવાનોને 28-29 મેની દરમિયાની રાતે પોલીસ ને છોડી મૂક્યા હતા. બજરંગ પુનિયાએ જેલમાંથી બહાર આવીને કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે જાતિય શોષણનો આરોપી નવી સંસદના ઉદ્ઘાટનમાં હશે.
![](https://themaadhyam.com/wp-content/uploads/2023/05/Screenshot-2023-05-29-112305-1024x577.png)
બજરંગ પુનિયાએ કહ્યું કે બ્રજભુષણ પર FIR કરતાં 7 દિવસ લાગ્યા પણ ખેલાડીઓ સામે 7 કલાકમાં FIR,આગળ ખેલાડીઓની શું રૂપરેખા રહેશે એના વિષે પણ બજરંગે વાત કરી
અહેવાલો અનુસાર, કુસ્તીબાજો પર ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 147, 149, 186, 188, 332, 353, PDPP એક્ટની કલમ 3 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
ધરણાંના સ્થળેથી પોલીસે તંબુ ઉખાડયા
દિલ્હી પોલીસે રવિવારે વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત ડઝનબંધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ તમામને અલગ-અલગ જગ્યાએ લઈ જવાયા હતા. જો કે, રવિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બજરંગ પુનિયા સિવાય બધાને મુક્ત કરવામાં આવ્યા હતા. રવિવારે દિલ્હી પોલીસે જંતર-મંતરથી કુસ્તીબાજોના પ્રદર્શન સ્થળ પરથી તંબુ, કુલર, ગાદલા વગેરે હટાવીને જગ્યા સાફ કરી હતી.
- GIFT CITY: આરબીઆઇ એ GIFT Cityમાં NRI ને ફોરેન કરન્સીમાં અકાઉન્ટસ ખોલવાની મંજૂરી આપી
- વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિન.) યોગ મુદ્રામાં શોભતા રેડ & વ્હાઇટ ઇન્સ્ટિ.ના વિદ્યાર્થીઓ
- જમ્મુમાં પોલીસ-સેનાના જવાનો વચ્ચે ઝપાઝપી, ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સામે હત્યાના પ્રયાસનો ગુનો
- 55 ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશની સેવા કરી રહ્યા છે
- શું અરવિંદ કેજરીવાલ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવી શકશે? જાણો કાયદો શું કહે છે?
- કોંગ્રેસમાં ફરી મોટું ભંગાણ થઈ શકે છે,ભુતપૂર્વ મુખ્યમંત્રી અને મોટા ગજાના કોંગી નેતા કમલનાથ ‘કમળ’ સાથે જોડાઈ શકે છે