ગુજરાત પોલીસમાં થશે મોટો ફેરફાર,ગૃહ વિભાગ એક્શનમાં

ગુજરાત પોલીસમાં થશે મોટો ફેરફાર,ગૃહ વિભાગ એક્શનમાં

ગુજરાત પોલીસમાં મોટેભાગે જોવા મળ્યું છે કે કોઈપણ આઇપીએસ અધિકારીની બદલી થઈ ગયા બાદ તેઓ પોતાના માનીતા અધિકારીઓને પણ પોતાની સાથે જે તે જિલ્લા કે શહેરમાં લઈ જતા હોય છે.

ગુજરાત પોલીસ ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી એક પેટર્ન જોવા મળી રહી છે

જે અંતર્ગત આઇપીએસ અધિકારીની બદલી થતાં જે તે અધિકારી પોતાના વ્હાલા નીચલા સ્તરના અધિકારીઓને પોતાના શહેર કે જિલ્લામાં લઈ જતા હોય છે. આ વાતને ગૃહ વિભાગ ગંભીરતાથી લઈ રહ્યું છે જેની અંતર્ગત આવા માનીતા કર્મીઓને સાથે રાખતા આઈપીએસ અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં અનેકવાર વહીવટી કારણોસર આઇપીએસ અધિકારીઓની બદલી થતી હોય છે

જ્યારે કોઈ પણ આઈપીએસ અધિકારીની બદલી થાય ત્યારે ઘણા બધા અધિકારીઓ પોતાની સાથે એમના જુના વફાદાર સાથીદારોને પણ લઈ જતા હોય છે એની પાછળ બીજા ઘણા બધા કારણો પણ હોય છે જેને લઈને ગૃહ વિભાગ સતર્ક થયું છે.

આકરા નિર્ણય લેવાની તૈયારીમાં ગૃહ વિભાગ
જ્યારથી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ નો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુજરાતમાં ગૃહ વિભાગ એક્ટિવ જોવા મળી રહ્યું છે. ગૃહ વિભાગે આઇપીએસ અધિકારીઓના વહાલા દવલા ની નીતિ સામે પણ આકરા પગલાં લેવાનું નક્કી કર્યું છે અને આઇપીએસ ઓફિસર નું લિસ્ટ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત સરકાર લઈ શકે છે આવા અધિકારીઓ સામે કડક પગલાં.

  • GIFT CITY: આરબીઆઇ એ GIFT Cityમાં NRI ને ફોરેન કરન્સીમાં અકાઉન્ટસ ખોલવાની મંજૂરી આપી
    RBI એ IFSC ની અંદર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી એક્ટ, 2019 મુજબ નાણાકીય સેવાઓ અથવા નાણાકીય ઉત્પાદનો મેળવવા માટે અધિકૃત વ્યક્તિઓને રેમિટન્સની સુવિધા આપવાનું નક્કી કર્યું.ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ (IFSCs) પર રેમિટન્સનો વિસ્તાર વિસ્તાર્યો છે જે ભારતીય રહેવાસીઓને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં…
  • વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિન.) યોગ મુદ્રામાં શોભતા રેડ & વ્હાઇટ ઇન્સ્ટિ.ના વિદ્યાર્થીઓ
    આજ રોજ રેડ & વ્હાઇટ મલ્ટિમડીયા એજ્યુકેશન ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓએ વિવિધ યોગ મુદ્રાનું પ્રદર્શન કરી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના 10માં પર્વની ઉજવણી કરી હતી. અહીં ખાસ બાબત છે કે આજે 21જૂન એટલે વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિનિટ્સ) દેશનું ધગધગતુ ભવિષ્ય એવા યુવા વિદ્યાર્થીઓએ દેશ માટે અને પોતાના સ્વાસ્થ્યની કેળવણી માટે આ પ્રસંગમાં ઉત્સાહપૂર્વક ભાગ…
  • જમ્મુમાં પોલીસ-સેનાના જવાનો વચ્ચે ઝપાઝપી, ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સામે હત્યાના પ્રયાસનો ગુનો
    જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સેનાના જવાનો સામે હત્યાના પ્રયાસ અને લૂંટના આરોપ હેઠળ કેસ નોંધાયો છે. અહેવાલો અનુસાર, મંગળવારે (28 મે) મોડી રાત્રે કુપવાડા પોલીસ સ્ટેશન પર સેનાના જવાનોએ હુમલો કર્યો હતો, જેના કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ટેરિટોરિયલ આર્મીના જવાનની પૂછપરછ કરવામાં આવતા સેનાના જવાનો ગુસ્સે થઈ…
  • 55 ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશની સેવા કરી રહ્યા છે
    દેશભરના રાજ્યોમાં ભીષણ ગરમીનો કાળો કહેર વરસી રહ્યો છે, અને રાજસ્થાનમાં ખાસ કરીને ભારત-પાકિસ્તાન સરહદે તાપમાન નવા કિર્તિમાન સર કરી રહ્યું છે. આ વિસ્તારમાં તાપમાન 55 ડિગ્રીને પાર કરી ગયું છે, જે અસહ્ય ગરમીનો પરિચય આપે છે. તેમ છતાં, આ કરાળી ગરમીમાં પણ સરહદે તૈનાત ભારતીય સેનાના જવાનોનો “જોશ હાઈ” છે અને તેઓ અદમ્ય સદ્દભાવના…
  • શું અરવિંદ કેજરીવાલ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવી શકશે? જાણો કાયદો શું કહે છે?
    જેલમાંથી સરકાર ચલાવવા માટે એવો કોઈ નિયમ નથી. આ માટે કોર્ટની પરવાનગી જરૂરી છે. અત્યાર સુધી દેશમાં જેલમાંથી સરકાર ચલાવવાની પરવાનગી કોઈને મળી નથી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. EDએ આ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને 9 વખત સમન્સ મોકલ્યા હતા. પરંતુ દિલ્હીના સીએમ એક વખત પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *