ગોધરાના યુવાને ભગવાન શંકરનો વેશ કાઢી કર્યા લગ્ન…જાનમાં આવ્યા સાધુ અને અઘોરી

આને કહેવાય સાચો શિવજીનો ભક્ત ભગવાન શિવની જેમ કર્યા લગ્ન,જાનમાં આવ્યા સાધુ અને અઘોરી

ગુજરાતના ગોધરામાં શનિવારે એટલે કે મહાશિવરાત્રીની રાત્રે એક અનોખા લગ્ન થયા. અહીંયા એક વરરાજાએ ભગવાન શંકરનો રૂપ ધારણ કરી અને પોતાની જાન કાઢી જેની અંદર મહેમાનોની સાથે સાથે ૨૦૦ સાધુ સંતો અને અઘોરી પણ સામેલ થયા.

પરિવાર એ પણ કર્યું વરરાજા નો સમર્થન

ગુજરાતના ગોધરામાં આવેલા ઋષભ પટેલે જણાવ્યું કે તેઓ ભગવાન શંકરના બહુ મોટા ભક્ત છે .મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના લગ્ન થયા હતા એ જ પ્રમાણે પોતે પોતાની મંગેતરને એવી ઈચ્છા જાહેર કરી કે મારે પણ ભગવાન શિવની જેમ લગ્ન કરવા છે અને ત્યારબાદ શિવરાત્રીના દિવસે ભગવાન શિવનો વેશ ધારણ કરી ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં લગ્ન કર્યા.

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના લગ્ન થયા હોવાની માન્યતા
ભગવાન શંકર જ્યારે પોતાની જાન લઈને ગયા હતા ત્યારે એમાં અઘોરી અને સાધુઓ હતા એવી જ રીતે ગોધરાના પણ પોતાની જાનમાં સાધુઓ અને અઘોરી ને બોલાવ્યા અને ભગવાન શિવનો વિસ્તરણ કરી અને લગ્ન કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *